Description
“પપ્પા, તમે ખરેખર જીવી ગયાં!”, વણગવાયેલા સમર્પણની એક અનોખી પ્રેરણાલક્ષી નવલકથા, દરેક વાંચક રસિકોને એક અમી ધરાનો આસ્વાદ કરાવશે.
આર્થિક તંગી અને નબળી પરિસ્થિતી, ડગલે ને પગલે મુસીબતોનાં વાવાઝોડા ‘હસમુખભાઈ’ અને ‘કોકિલાબેન’ ની જીવન યાત્રામાં ઉમેર્યાજ કરતાં હતા. પોતાની ઈચ્છાઓ, પરિવારનાં મ્હેણાંટોણાં અને અસન્માનનીય વ્યવહારને દૂર કિનારે મૂકી, હસમુખભાઈએ તો નિરંતર, વિના કોઈ આક્રોશ જતાવ્યે, સતત પુત્ર ‘જિગ્નેશ’, પુત્રી ‘જલ્પા’, અને પત્ની કોકિલાનાં દરેક સપનાઓને સિંચવાં જજુમતાજ રહ્યા કર્યું હતું.
પછી તો સમય રહેતાં પુત્રવધૂ ‘પારૂલ’નાં અણગમા વ્યવહારમાં અનેક સુખમઈ વાર્તાઓએ ક્યાંક દૂર વિખેરાતી જતી હતી. એકજ ઘરમાં રહેતાં આશ્રિત એવાં હસમુખભાઈ અને કોકિલાબેન માટે તો ‘વંદન’, એમનો દૌત્રજ, પછી તો એ બાકી બચેલું તમામ સુખ પરોવતો હતો.
દુ:ખનાં વાદળો હજું ક્યાંક વિખેરાતાં દેખાતાં, તો પળવારમાં તે ફરી ઘેરાઈ પણ જતાં હતાં. પુત્રવધૂ પારૂલનો રોજબરોજનો ત્રાસ અને છૂટા રહેવાનાં વિચારો આવનારાં દર્દનીય અંધકારને નવી પાંખો આપી રહ્યાં હતાં. પછી તો કોકિલાબેનની મહાબીમારી, એમાં વળી દૌત્ર વંદન અને પછી જિગ્નેશ પર આવી ઉભેલું અણધાર્યું અકસ્માત, હસમુખભાઈની જાણે દુનિયાજ વિખેરી રહ્યું હતું.
તો શું હમસુખભાઈની દુનિયા હમેશ માટે વિખેરાઈ ગઈ? શું હસમુખભાઈ કોકિલાબેન સાથે છેવટ સુધીનો સાથ નિભાવી શક્યાં? શું હસમુખભાઈ પોતાની વિખેરાતી દુનિયાને એક તાતણે બાંધી શક્યાં? શું હસમુખભાઈ દૌત્ર વંદન અને જિગ્નેશના અકસ્માતમાં તણાઈ ગયાં? તેઓ એમનાં અગાઢ આક્રંદમાથી ફરી ક્યારે બારે આવી શક્યાં?
પરિવારની ખુશીઓ અને તેમના સુખચેન માટે,
જેણે પોતાની આખી જિંદગી ખર્ચી નાખી,
છતાએ અંતમાં જે નકામા સાબિત થયા,
તે એટલે ‘પપ્પા’ . . .”
લેખક ‘વિશાલ પટેલ’ ની ઓળખ આપતાં, તેઓ ઈજનેરી શાખામાં અગ્રણી હોદ્દે કાર્યરત હોવા ઉપરાંત, પોતાનાં અંતરહ્રદય અને આત્માથી તેઓ એક સમાજસેવક, પ્રેરણાલક્ષી વક્તા, સલાહકાર અને લેખક છે. તેમના અવનવા લેખન કાર્યો ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને મરાઠી ભાષામાં આજે પણ અવિરત પ્રકાશિત થઈ રહ્યા છે. લેખકની દુનિયાભરમાં પ્રસ્તુત થયેલી, એંગ્રેજીમાં લખાયેલી પ્રેરણાલક્ષી નવલકથા શ્રેણી ##MyLifeline માટે તેમને પુરસ્કારો એનાયત થયા છે. જ્યારે અંગ્રેજીમાં લખાયેલી પ્રેરણાદાયી નવલકથાઓ ‘The Rise of A Soldier’ અને ‘Survival’ આજે પણ વાંચક મિત્રોમા પ્રખ્યાત થઈ રહી છે. આ સિવાય ૫+ સ્ટેજ નાટયો, પ્રેરણાલક્ષી ૨૦+ બ્લોગ્સ અને ૧૮૦૦+ ક્વોટ્સ સોશિયલ મીડિયામાં પ્રકાશિત થયાં છે અને આવા અનેક લેખન કાર્યો આજે પણ અવિરત પ્રકાશિત થઈ રહ્યા છે.
પોતાની માતૃભાષામાં એક સેવાભાવી કાર્ય કરવાં, પ્રેરણાલક્ષી વિચારોને લોકોનાં અંતરહ્રદય સુધી પહોંચાડી અને એમાંથી ઉદ્ભવેલા દ્રવ્યથી તેઓ લોકોની નિ:સ્વાર્થ સેવા કરવા માંગે છે.
આશા છે કે લેખકનું આ લેખન કાર્ય તમને પસંદ આવે. તમારા વિચારો અને સુજાવોની તેઓ આતુરતાથી રાહ જુવે છે. લેખકને સંપર્ક કરવાં તેમનાં સોશિયલ મીડિયા પેજ અને વેબસાઈટ પર આજેજ જઈ Subscribe, Like, Share અને Comment કરો!
તમારાં સાથ અને સહકાર બદ્દલ તમારો ખૂબ ખૂબ આભાર!
ધન્યવાદ!
Reviews
There are no reviews yet.